વીમાદાતાનું બિઝનેસ મોડલ
વીમાકરણ અને રોકાણ
બિઝનેસ મોડલને સરળ રીતે રજૂ કરીએ તોઃ નફો = કમાવેલું પ્રિમીયમ + રોકાણ આવક- નુકસાન- વીમાકરણ ખર્ચ.
વીમાદાતા બે રીતે નાણા કમાવી શકે છેઃ (1)
વીમાકરણ દ્વારા, જેમાં વીમાદાતા જે જોખમ પર વીમો આપવાનો છે તેની પસંદગી કરે છે અને આ જોખમ સ્વીકારવા પર કેટલું પ્રિમીયમ ચાર્જ કરવું જોઇએ તે નક્કી કરે છે (2) તેઓ વીમાધારક ગ્રાહકો પાસેથી જે પ્રિમીયમ મેળવે છે તેનું
રોકાણ કરીને
વીમા બિઝનેસથી સૌથી જટીલ બાબત પૉલિસીનું
વીમાકરણ છે.પુષ્કળ માહિતી અને આંકડાઓનો ઉપયોગ કરીને વીમાદાતા તેની પૉલિસી સામે સંભવિત દાવાની રકમની ધારણા કરે છે અને તે મુજબ તેની પ્રોડક્ટની કિંમત નક્કી કરે છે.આ માટે વીમાદાતા, તેઓ કેટલું જોખમ ઉઠાવવા માંગે છે અને આ જોખમ ઉઠાવવા માટે તેઓ શું પ્રિમીયમ ચાર્જ કરશે તે નક્કી કરવા
આંકડાકીય વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.ચોક્કસ જોખમ પર સંભવિત દાવા માટે આંકડાનો સઘન અભ્યાસ કરાય છે.આંકડાકીય વિજ્ઞાન જોખમનું મૂલ્ય આંકવા માટે આંકડાશાસ્ત્ર અને સંભાવનાનો ઉપયોગ કરે છે અને આ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો વીમાદાતાના કુલ રોકાણનો અંદાજ કાઢવા માટે ઉપયોગ કરાય છે.ચોક્કસ પૉલિસી રદ કરવાતા, મેળવાયેલા પ્રિમીયમની કુલ રકમ અને તે પ્રિમીયમના રોકાણમાંથી થયેલા ફાયદાના સરવાળામાંથી દાવાની ચૂકવણીની રકમ બાદ કરતા વીમાદાતાનો તે પૉલિસી માટે
વીમાકરણ નફો મળે છે.વીમાદાતાની દ્રષ્ટિએ કેટલીક પૉલિસીઓ વિજેતા (એટલે કે, વીમાદાતા પ્રિમીયમ અને રોકાણની આવકની સામે દાવા અને ખર્ચની ચૂકવણી ઓછી કરે છે) છે જ્યારે કેટલીક નુકસાનકારક (એટલે કે, વીમાદાતા પ્રિમીયમ અને રોકાણની આવકની સામે દાવા અને ખર્ચ પર ઊંચી ચુકવણી કરે છે). વીમા કંપનીઓ આંકડાકીય વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિજેતા પૉલિસીઓનું વીમાકરણ કરીને તેમજ નુકસાનકારક પોલિસીની ચૂકવણી કરીને પણ નફાકારકતા જાળવી રાખે છે.
કોઇ પણ વીમાદાતાનો વીમાકરણ દેખાવ તેના સંયુક્ત ગુણોત્તરમાં માપવામાં આવે છે.કંપનીનો સંયુક્ત ગુણોત્તર નક્કી કરવા માટે તેના નુકસાન ગુણોત્તર (ભોગવેલું નુકસાન અને નુકસાન ખર્ચનો પ્રિમીયમમાંથી થયેલી આવક સાથે ગુણોત્તર)ને ખર્ચ ગુણોત્તર (વીમાકરણ ખર્ચનો રાઇટ કરાયેલા ચોખ્ખા પ્રિમીયમ સાથેનો ગુણોત્તર)માં ઉમેરો કરવામાં આવે છે. સંયુક્ત ગુણોત્તર કંપનીની કુલ
વીમાકરણ નફાકારકતાનું પ્રતિબિંબ છે.૧૦૦ ટકા કરતા ઓછો સંયુક્ત ગુણોત્તર વીમાકરણ નફાકારકતા દર્શાવે છે જ્યારે ૧૦૦ ટકા કરતા વધુ સંયુક્ત ગુણોત્તર કંપનીનું વીમાકરણ નુકસાન દર્શાવે છે.
વીમા કંપનીઓ હાથ પર રહેલા ભંડોળમાંથી પણ
રોકાણ નફો કમાવી શકે છે.હાથ પર રહેલું ભંડોળ એક ઇન્શ્યોરન્સ પાસે કોઇ પણ સમયે હાજર રહેલી રોકડ રકમ છે જે પ્રિમીયમ તરીકે મેળવવામાં આવી છે પરંતુ દાવાઓની ચૂકવણી કરવામાં તેનો ઉપયોગ થયો નથી.વીમાદાતા દાવાની ચૂકવણી ના થાય ત્યાં સુધી આવતા પ્રિમીયમનું રોકાણ કરવાનું શરૂ કરી દે છે અને તેના પર વ્યાજ કમાવે છે.
એસોસિયેશન ઓફ બ્રિટીશ ઇન્શ્યોરર (યુકેની ૪૦૦ વીમા કંપનીઓ અને ૯૪ ટકા વીમા સેવાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા)
લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં ૨૦ ટકા જેટલું રોકાણ ધરાવે છે.
(સંદર્ભ આપો)
અમેરિકામાં 2003ના અંતે પુરા થતા પાંચ વર્ષમાં
મિલકત અને
અકસ્માત વીમા કંપનીઓનું વીમાકરણ નુકસાન 142.3 અબજ ડોલર હતું.પરંતુ હાથ પર રહેલા ભંડોળને કારણે કુલ નફો ૬૮.૪ અબજ ડોલર હતો.
હેન્ક ગ્રીનબર્ગ જેવા કેટલાક વીમા ઉદ્યોગના માંધાતા નથી માનતા કે વીમાકરણ નફા વગર હાથ પર રહેલા ભંડોળમાંથી નફો ટકાવી રાખવો હંમેશા શક્ય છે. સ્વાભાવિક રીતે મંદીના સમયે હાથ પર રહેલા ભંડોળના રોકાણમાંથી વ્યાજ કમાવવાનું ચાલુ રાખવું મુશ્કેલ છે.મંદીમય માર્કેટ વીમાદાતાને તેમના રોકાણ પાછા ખેંચી લેવા અને તેમના અંડરરાઇટિંગ માપદંડ વધુ ચુસ્ત કરવા ફરજ પાડે છે. આમ નબળા અર્થતંત્રનો સામાન્ય રીતે અર્થ છે ઊંચા વીમા પ્રિમીયમ.નફાકારક અને બિનનફાકારક સમય વચ્ચેની તબદીલીની પ્રકૃતિને સામાન્ય રીતે વીમાકરણ અથવા
વીમા ચક્ર તરીકે ઓળખવામાં આવે છે.
[૬]
મિલકત અને અકસ્માત વીમા કંપની અત્યારે મોટા ભાગની કમાણી તેમના ઓટો વીમા બિઝનેસમાંથી કરે છે.ઓટો નુકસાન પર સારા આંકડા અને માહિતી ઉપલબ્ધ છે અને ગણતરી માટેની આધુનિક ટેકનોલોજીને કારણે ઓટો વીમાના વીમાકરણને મોટો ફાયદો થયો છે.વધુમાં,
અમેરિકામાં અણધારી કુદરતી હોનારતને કારણે મિલકત નુકસાને આ ટ્રેન્ડને ઉત્તેજિત કર્યો છે.
દાવાઓ
દાવા અને નુકસાન સંચાલન વીમાની ભૌતિક સેવા છે. તેનો ક્યારેય ઉપયોગ નહીં કરવો પડે તેવી વીમાધારકની આશા હોવા છતાં, તે જેના માટે ચૂકવણી થાય છે તે વાસ્તવિક પ્રોડકટ છે.વીમાધારક દ્વારા વીમાદાતાને દાવો સીધો અથવા દલાલ અથવા એજન્ટ દ્વારા ફાઇલ કરી શકાય છે.વીમાદાતા ઇચ્છે છે કે દાવો તેના પોતાના અરજીપત્રમાં ફાઇલ થાય અથવા તે એકોર્ડ દ્વારા રજૂ કરાયેલા જેવા વીમા ઉદ્યોગની પ્રમાણભૂત અરજીમાં દાવો સ્વીકારે છે.
વીમા કંપનીના દાવા વિભાગો મોટી સંખ્યામાં
ક્લેમ એડજસ્ટરને કામે લગાડે છે અને તેમને
રેકોર્ડ્સ મેનેજર અને [[ડેટા એન્ટ્રી ક્લર્ક |ડેટા એન્ટ્રી ક્લર્ક]]ની સહાય મળે છે.કંપની પાસે આવેલા દાવાઓનું તેની ગંભીરતાને આધારે વર્ગીકરણ કરાય છે અને એડજસ્ટરને આપવામાં આવે છે જોએ જ્ઞાન અને અનુભવને આધારે વિવિધ સેટલમેન્ટ સત્તા ધરાવે છે.એડજસ્ટર પ્રત્યેક દાવાની ઝીણવટભરી તપાસ કરે છે, સામાન્ય રીતે વીમાધારકના સહકાર સાથે, તેનું યોગ્ય નાણાકીય મૂલ્ય નક્કી કરે છે અને ચૂકવણી અધિકૃત કરે છે.જવાબદારી વીમા દાવાઓનો નિકાલ કરવો મુશ્કેલ છે કારણકે તેની સાથે ત્રીજો પક્ષ (ફરિયાદકર્તા જે વીમાદાતા સામે દાવો માંડે છે) સંકળાયેલો છે જે વીમાદાતાને સહકાર આપવા માટે બંધાયોલો નથી અને તે વીમાદાતાને
સમૃદ્ધ ગણે છે.એડજસ્ટરે વીમાધારક માટે કાનૂની સલાહકાર મેળવવો જ જોઇએ. (આંતરિક સલાહકાર અથવા બહારનો પેનલ સલાહકાર). તેણે વર્ષો સુધી ચાલી શકે તેવા કાનૂની દાવા પર નજર રાખવી જોઇએ અને જ્યારે જજ દ્વારા વિનંતી કરાય ત્યારે વ્યક્તિગત રીતે અથવા ટેલિપોન પર નિકાલ સત્તા તરીકે નિકાલ કોન્ફરન્સમાં હાજર રહેવું જોઇએ.
દાવાઓના નિકાલની કામગીરી દરમિયાન વીમાદાતા ગ્રાહકનો સંતોષ, વહીવટી ખર્ચ અને દાવાની વધુ પડતી ચૂકવણીની શક્યતા વચ્ચે સંતુલન જાળવવા ઇચ્છે છે.આ સંતુલન સાધવાની કામગીરીના ભાગરૂપે
દગાબાજ અપ્રમાણિક વીમા પ્રવૃત્તિ આ કારોબાર માટે મોટું જોખમ છે અને તેને દૂર કરવી જોઇએ.દાવાની કાયદેસરતા અથવા દાવાના નિકાલ કરવાની પ્રક્રિયા મુદ્દે વીમાદાતા અને વીમાધારક વચ્ચે કેટલીકવાર અદાલતમાં દાવો મંડાય છે, જુઓ
વીમા ખરાબ વિશ્વાસ.