વીમો : પારસ્પરિક વિશ્વાસનો કરાર
સાધારણ વીમો એક ચાતુર્યભર્યો વ્યવસાય છે. અન્ય સેવાઓની જેમાં તેમાં પણ ગતિશીલતાને કારણે પુષ્કળ વૈવિઘ્ય છે. ઉદાહરણ તરીકે, જો તમે જીવન વીમાનો આગ્રહ રાખો તો જન્મ તારીખ, ઊચાઈ, લાભકર્તાના નામનાં પ્રમાણ અને અન્ય માહિતીઓને એકત્રિત કરી તેને પ્રમાણિત કરવામાં આવે છે.
માલ-સામાનના વીમાના સંદર્ભમાં ખરીદ અને વેચાણ હોઈ શકે છે, કે જે વીમિત માલ-સામાનની કિંમત ઘટાડે અથવા વધારે છે. અથવા, તમે વેર-હાઉસ બદલી અથવા ભાડા પર રાખી શકો છો. તમારી પાસે અન્ય મહત્વનાં વિષયો હોવાને કારણે વીમા કંપનીને સ્થળ અથવા મૂલ્ય પરિવર્તન અંગેની જાણ કરવાની પ્રાથમિકતા કદાચ ન પણ હોઈ શકે છે.
જ્યારે એક કરતા વધારે ફરિયાદ એક જ પ્રકારની હોય ત્યારે કોર્ટ તેઓને મિશ્રિત કરી એક સામાન્ય હુકમની ઘોષણા કરે છે. જો અપીલને દાખલ કરવામાં થોડોક વિલંબ થયો હોય તો કોર્ટોવિલંબને પણ કદાચ માફ કરી શકે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાની આ એક ફરિયાદ છે કે જેમાં ફરિયાદીઓએ રોહા અષ્ટમી અર્બન કો-ઓપ. બેંકમાંથી લોન લીધી હતી. લોન તેઓના ઇંટોના વ્યવસાય માટે લેવામાં આવી હતી. બેંકે તેઓનાં વ્યવસાય માટે વીમાનું આવરણ લેવા પર ભાર મૂક્યો. તે અસામાન્ય નથી કે બેંકોને તેઓનાં નાણાંની વસૂલી માટે કોઈ જ સંબંધ ન હોય.
ફરિયાદીઓએ તેમનું વીમા આવરણ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીમાંથી લીધું હતું. સંચાલકીય સરળતા માટે તેઓએ તેમનું સરનામું રાયગઢ જિલ્લાનું રોહા તાલુકા દર્શાવ્યું હતું. ઘટના એવી ઘટી કે ત્યાં બે દિવસ સુધી મુશળધાર વર્ષા થઈ અને પાણીનું સ્તર ૨૦ ફૂટ સુધી ઉપર આવી ગયું. સરકારે તેનાં કાર્યાનુસાર વર્ષાની માત્રા અને પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.
બેંકે પૂરને કારણે નષ્ટ પામેલાં બધા જ કાચા માલ અને નિર્મિત માલ અંગેના નુકસાન સંબંધી દરેક હસ્તાક્ષરિત દસ્તાવેજો ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીને નાણાંના વળતર માટે મોકલી આપ્યાં. ન્યૂ ઇન્ડિયાના મત પ્રમાણે, આ દાવાનાં દસ્તાવેજો બેંકે નહીં પરંતુ સુભાષ જૈન દ્વારા મોકલાવવાં જોઈએ તેમ કહી કંપનીએ આ દાવા અંગે કોઈ તકેદારી ન લીધી.
કંપની દ્વારા એક અતિરિકત વાંધો એ ઉઠાવવામાં આવ્યો કે જ્યારે ઇંટોનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે જ વીમાનું આવરણ લાગુ હતું, ન કે તેના ઉત્પાદન પહેલાં કે પછી. વધારે ગૂંચવણ ત્યારે ઊભી થઈ જ્યારે ફરિયાદીઓ દ્વારા દર્શાવવામાં આવેલું સરનામું નિર્માણ સ્થળ સાથે બંધ બેસતું ન હતું.
ગ્રાહક જિલ્લા તકરાર નિવારણ કેન્દ્રમાં આ ફરિયાદને દાખલ કરવામાં આવી અને તેઓ વીમા કંપની સાથે સહમત થયા અને મામલાને રદ્દ કરવામાં આવ્યો. કારણ: વીમા પ્રસ્તાવપત્રમાં દર્શાવવામાં આવેલું સરનામું અત્યંત ચોક્કસ ન હતું જોકે વીમા પોલિસી અને બેંકની લોન અંગે કોઈ તકરાર થઈ ન હતી. ત્રસ્ત પક્ષકારોએ મહારાષ્ટ્ર (રાજ્ય) ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં અપીલ કરી.
પરંતુ પૂરનાં સ્થળની સરખામણીમાં સરનામું વિભિન્ન હોવાને કારણે રાજ્ય આયેગે પણ ફોરમનાં નિર્ણયની સાથે સંમતિ પ્રગટ કરી. વધુમાં રાજ્ય આયોગનું નિરીક્ષણ એ હતું કે વીમો પારસ્પરિક વિશ્વાસનો કરાર છે અને વીમાનો કરાર કરતે સમયે વ્યાપારી અથવા ઉદ્યોગપતિ પાસેથી સંપૂર્ણ માહિતીની અપેક્ષા રાખવામાં આવે છે અને તે અંગે તેઓએ કાળજી લેવી જ જોઈએ.
વીમો લેતી વખતે સવાલ પૂછવા જરૂરી છે કે કયા સંજોગોમાં વીમાનો, ક્લેઇમ મળશે. અને કયા સંજોગોમાં નહીં. ઘણી વખત થોડુંક વધારે પ્રીમિયમ ભરવાથી વધારાનું રિસ્ક કવર કરી શકાય છે. જ્યારે કોઈ જાતની આપત્તિ આવે અને વીમાના પૈસા ના મળવાના હોય તો વીમો શા માટે લેવાનો હોય.
|