Main | My profile | Registration | Log out | Login | RSS | Saturday, 27/04/2024, 6.47.24 AM |
Health, Wealth & Life Insurance | |
Logged in as Guest Group "Guests"Welcome Guest |
|
વીમોકેપ્ટિવ તેમની મૂળ કંપની માટે જોખમ સંચાલન અને જોખમ ધિરાણ વ્યૂહરચના માટે વધુ મહત્વની બાબત બની રહી છે.તે નીચેની બાબત પરથી સમજી શકાય છે.
એવી પણ કંપનીઓ છે કે જે વીમા કન્સલ્ટન્ટ તરીકે ઓળખાય છે.મોર્ગેજ દલાલની જેમ ગ્રાહક ઘણી વીમા કંપનીઓમાંથી શ્રેષ્ઠ વીમા પોલીસી ખરીદવા માટે આ કંપનીઓને ફી ચૂકવે છે.વીમા કન્સલ્ટન્ટની જેમ વીમા દલાલો પણ ઘણી વીમા કંપનીઓમાંથી શ્રેષ્ઠ વીમા પોલીસી ખરીદવડાવે છે.જો કે વીમા દલાલના કિસ્સામાં ફી સીધી ગ્રાહક જોડેથી લેવાના સ્થાને દલાલ જે કંપનીનો વીમો પસંદ કરે છે તેના તરફથી કમિશનના સ્વરૂપમાં ફી ચૂકવાય છે. વીમા કન્સલ્ટન્ટ કે વીમા દલાલો વીમા કંપનીઓ નથી અને વીમાની લેવડદેવડમાં કોઇ જોખમ તેમને તબદીલ થતું નથી. ત્રીજો પક્ષીય વહીવટકર્તા એવી કંપનીઓ છે જે વીમા કંપનીઓ માટે વીમાકરણ કરે છે અને કેટલીકવાર ક્લેમ હેન્ડલિંગ સેવા પણ આપે છે.આ કંપનીઓ વિશેષ નિપુણતા ધરાવતી હોય છે જે ઘણી વાર વીમા કંપનીઓમાં હોતી નથી.
વૈશ્વિક વીમા ઉદ્યોગવૈશ્વિક વીમા પ્રિમીયમમાં 2007માં 11 ટકાનો વધારો થયો છે.(અથવા રીયલ ટાઈમ મુજબ 3.3 ટકાનો) પ્રિમીયમ હવે 4.1 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. વૈશ્વિક વીમા પ્રિમીયમમાં 2007માં 11 ટકાનો વધારો થયો છે.(અથવા રીયલ ટાઈમ મુજબ 3.3 ટકાનો) પ્રિમીયમ હવે 4.1 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. જીવન વીમામાં નફાકારતા સુધરી છે અને જીવન વીમા સિવાયના સેક્ટરોમાં વર્ષ દરમિયાન સહેજ ઘટાડો થયો છે. જીવન વીમાના પ્રિમીયમમાં 12.6 ટકાનો વધારો થયો છે, જાપાન અને યુરોપ સિવાયના વિકસિત દેશો સિવાયના દેશોમાં તેમાં ઝડપી વધારો નોંધાયો છે. જીવન વીમા સિવાયના પ્રિમીયમમાં પણ વર્ષ દરમિયાન 7. 6 ટકાનો વધારો નોંધાયો છે. 2008ના વર્ષ માટેના આંકડા મળી શક્યા નથી પરંતુ મંદીને કારણે વીમા ઉદ્યોગને પણ અસર થશે તેવી શક્યતા છે. રોકાણની આવક વિકસિત અર્થતંત્રો વૈશ્વિક વીમા ક્ષેત્રમાં મોટો ભાગ ધરાવે છે. આ દેશોમાં પ્રિમીયમની આવક 1,681 અબજ ડોલર છે જેમાંથી મહત્વનો ભાગ યુરોપ છે ત્યાર બાદ ઉત્તર અમેરિકા(1,330 અબજ ડોલર) અને એશિયા(814 અબજ ડોલર) આવે છે. 2007માં ટોચના ચાર દેશો પ્રિમીયમમાં 60 ટકા ભાગ ધરાવતા હતા. યુએસ અને યુકે જ વિશ્વ વીમામાં 42 ટકા હિસ્સો ધરાવતા હતા જે વૈશ્વિક વસ્તીના 7 ટકા કરતા ઘણો વધુ હતો. ઉદભવી રહેલા માર્કેટ વિશ્વની વસ્તીના 85 ટકા હિસ્સો ધરાવે છે તેમ છતાં તેઓ પ્રિમીયમમાં માત્ર 10 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.[૧૩] વિવાદોવીમાનું વિતરણ અસમાન છે.તેના વીમેદાર માટે સુરક્ષાનું કવચ પૂરૂ પાડીને વીમા કંપનીને ધ્યાનમાં આવે છે કે વીમેદાર તેના જોખમથી એટલો બધો બેધ્યાન નથી.(વ્યાખ્યા મુજબ વીમેદાર જોખમ વીમા કંપનીને તબદીલ કરે છે. ,) આ ખ્યાલ નૈતિક જોખમકહેવાય છે. જો વીમેદાર તેના જોખમ અને જવાબદારીને વધુ મોટી કરી રહ્યો છે તેવું માલુમ પડે તે સામેના રક્ષણ માટે જોગવાઈ કરે છે. આ દ્વારા તેઓ ફાયનાન્સિયલ એક્સપોઝર ઓછું કરી શકે. દાખલા તરીકે, જીવન વીમા કંપનીઓ જોખમી વ્યવસાય કે પછી જોખમી રમત રમતા વ્યકિતનો વીમો લેવાની ના પાડી શકે છે અથવા તેઓ વધુ પ્રિમીયમ માંગી છે. જવાબદારી વીમા કંપનીઓ વીમેદાર દ્વારા આંતરરાષ્ટ્રીય અપકૃત્યઓને કારણે ઉભી થતી જવાબદારીઓ પૂરી પાડતી નથી.જો વીમા કંપની આ તબક્કે વીમો લેવા પણ માંગતી હોય તો આ મોટાભાગના દેશોની જાહેર નીતિની વિરુદ્ધમાં છે. જેથી આ એક ગેરકાયદે પગલું બની જાય છે. વીમા પૉલિસી કરારમાં જટિલતા વીમા પોલિસી જટિલ હોઈ શકે છે અને કેટલાક વીમેદારો તેની ફી અને તેનું કવરેજ સમજી શકતા નથી જેને પરિણામે તેમને અનુકુળ ન હોય તેવી પૉલિસીઓ તેઓ ખરીદે છે. આ મુદ્દાને કારણે ઘણા દેશોએ એક વ્યવસ્થિત નિયમન નીતિ ઘડી કાઢી છે જેમાં પૉલિસી માટે ઓછામાં ઓછી ગુણવત્તા તેમજ તેની જાહેરાત કેવી રીતે કરવી અને તેને કેવી રીતે વેંચવી જેવા મુદ્દાઓ સમાવાયા છે. દાખલા તરીકે, મોટાભાગની વીમા પૉલિસીઓ અંગ્રેજી ભાષામાં હોય છે જેને સાદી અંગ્રેજી ભાષામાં લખવામાં આવે છે. ઘણી વખત અદાલતના ન્યાયમૂર્તિઓ પણ પૉલિસી સમજી શકતા નથી જેથી કરીને તેઓ વીમેદારને પોલીસીનું પાલન કરવાનો આદેશ કરી શકતા નથી. વીમા ખરીદતી સંસ્થાઓ આ કારણે વીમા દલાલ દ્વારા વીમો લે છે. આ વીમા દલાલ પૉલિસી ખરીદનાર વ્યકિત તરફથી વાતચીત કરતો હતો છે, અહીં નોધવાલાયક હકિકત એ છે કે મોટાબાગના કેસોમાં દલાલનું વળતર વીમાના પ્રિમીયમના કમિશન પેટે આવે છે જેને કારણે દલાલ પોતાના નાણાકીય લાભ માટે વીમેદારને જરૂર હોય તેના કરતા વધુ પ્રમાણમાં વીમો લેવડાવે છે જેથી વીમેદારને નુકશાન થાય છે. દલાલ વિવિધ વીમા કંપનીઓ સાથે કરાર ધરાવતો હોય છે જેથી દલાલબજારમાંથી સારામાં સારી કિંમતે વીમો ખરીદી શકે છે. વીમો એજન્ટ દ્વારા પણ ખરીદી શકાય છે. પૉલિસીધારકનું પ્રતિનિધિત્વ કરતા દલાલ કરતા અલગ રીતે એજન્ટ વીમા કંપનીનો પ્રતિનિધિ હોય છે જેની પૉલિસી પોલીસીધારક ખરીદે છે. એક એજન્ટ એકથી વધુ કંપનીઓનો પ્રતિનિધિ હોઈ શકે છે. સ્વતંત્ર વીમા સલાહાકાર ગ્રાહકને સલાહ આપે છે, વકીલની જેમ તેઓ સ્વતંત્ર સલાહ ઓફર કરે છે, તેઓ એજન્ટ કે પછી દલાલની જેમ કોઈ એક પક્ષ સાથે સંકળાયેલા હોતા નથી. જો કે, આવા સલાહાકારોએ દલાલો અથવા તો એજન્ટો વડે કામ કરવું પડે છે જેથી તેમના ગ્રાહકોને યોગ્ય કવરેજ મળી શકે. રેડલાઈનિંગ કેટલાક ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં વીમાનો ઈનકાર કરાય તેને રેડલાઈનિંગ કહેવાય છે, વીમો ઈનકાર કરવાનું કારણ મોટાપ્રમાણમાં નુકશાન જવાબદાર હોય છે.વંશીય ભેદભાવ(Racial profiling) અથવા રેડલાઈનિંગનો અમેરિકામાં મિલકત વીમામાં એક લાંબો ઈતિહાસ છે. ઉદ્યોગોમાંથી, સરકારી દસ્તાવેજો, કોર્ટના દસ્તાવેજો અને વિવિધ સમુદાય તરફથી મળેલી માહિતી મુજબ વંશીય મુદ્દો વીમા ઉદ્યોગને લાંબા સમયથી અસર કરે છે [૧૪] ૨૦૦૭ના જુલાઈમાં ફેડરલ ટ્રેડ કમિશને શાખ આધારિત વીમા સ્કોર અને ઓટોમોબાઈલ વીમો અંગેના અભ્યાસનો એક અહેવાલ રજૂ કર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ગ્રાહક દ્વારા કરવામાં આવતા દાવાઓની આગાહી અભ્યાસમાં રજૂ કરાયેલા સ્કોર દ્વારા કરી શકાય છે. ( http://www2.ftc.gov/os/2007/07/P044804FACTA_Report_Credit-Based_Insurance_Scores.pdf) દરેક રાજ્યોમાં દરને નિયંત્રણ કરવા અંગેના અથવા ભેદભાવોને દૂર કરીને મુક્ત વેપાર માટેના કાયદા અસ્તિત્વ ધરાવતા હતા આમ છતાં રેડલાઈનિંગ જેવી વાત બનતી હતી.[૧૫] પ્રિમીયમના દર નક્કી કરતી વખતે વીમા કંપની કેટલાક મહત્વના પરિબળો ધ્યાનમાં લે છે જેમાં સ્થળ ઉપરાંત શાખ આંકs, લિંગ, વેપાર, વૈવાહિક સ્થિતિ, અનેશિક્ષણના સ્તરનો સમાવેશ થાય છે. જો કે કેટલાક પરિબળો ઘણી વખત અન્યાયી અને ગેરકાયદે ભેદભાવયુક્ત જણાયા છે અને જેને લઈને વિરોધ પણ ખાસો થયો છે. આ વિરોધ કેટલીક વખત રાજકીય કક્ષાએ પણ પહોંચ્યો છે. વીમા કંપનીએ વીમેદારને થતા નુકશાન સામે વળતર આપવાની સ્થિતિની સમિક્ષા કરવાની છે. જ્યારે પણ કોઈ પરિબળ નુકશાનની સંભાવના વધારતું હોય ત્યારે તેઓ ઉંચા દર વસૂલ કરે છે. વીમાના પાયાના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. જો વીમા કંપની ચૂપ રહે તો સ્થિતિ ખરાબ બને છે. "ભેદભાવ" યુક્ત (દાખલા તરીકે, નકારાત્મક ભેદભાવયુક્ત વલણ) સંભવિત વીમેદારના જોખમનું યોગ્ય મુલ્યાંકન કરવું અને પ્રિમીયમ નક્કી કરવાની પ્રક્રિયા વીમા કંપનીઓની મુળભૂત ફરજ છે. દાખલા તરીકે વીમા કંપનીઓ વૃદ્ધ વ્યકિતઓ યુવા વ્યકિતઓના વીમાના પ્રિમીયમની સરખામણીમાં ઉંચા દર વસૂલ કરે છે.જેથી વૃદ્ધ વ્યકિતઓને યુવાન વ્યકિતઓથી અલગ રીતે મુલવવામાં આવે છે. વૃદ્ધો યુવાન લોકો કરતા વધુ જલદી મૃત્યુ પામતા હોય છે જેથી નુકશાન જવાનું જોખમ (વીમેદારનું મોત) વધુ પ્રમાણમાં સંભવ છે જેથી વધુ જોખમ હોવાથી તે વધુ પ્રિમિયર વસૂલ કરે છે. પણ જો આવું કંઈ કારણ ન હોય આમ છતાં વીમા કંપની ભેદભાવયુક્ત વર્તે તો ચોક્કસ પણે તે ગેરકાયદે કૃત્ય ગણી શકાય. ચર્ચામાં તર્ક દ્વારા શુદ્ધ દલીલોનો ઘણી વખત અભાવ જવા મળે છે. સાઉન્ડ ફેક્ટર જેવા કે જોખમની સામે અપૂરતી રકમની ચૂકવણી અને જેથી આ પદ્ધતિમાં અભાવ જોવા મળે છે. આ અભાવને દૂર કરવાના પ્રયાસો કદાચ વીમા કંપનીના વીમેદારોના કેટલાક મુદ્દાઓનો ઉકેલ આવતો નથી તો તેમને ઘણી વખત તકલીફ પણ પડે છે. જેથી આ અભાવને દુર કરવાના વિકલ્પો નીચે મુજબ છે.: અભાવનો ચાર્જ અન્ય પૉલિસી ધારકો પર અથવા તે ચાર્જ સરકાર પાસેથી વસૂલ કરવો. |
|
For best view use Internet Explorer 7.0 or above, Google Chrome or Mozilla Firefox. |
© All rights reserved. No part of this website may be copied, adapted, abridged or translated, stored in any retrieval system, computer system, photographic or other system or transmitted in any form or by any means without the prior written permission of the copyright holders, Health, Wealth & Life Insurance. Any breach will entail legal action and prosecution without further notice. Copyright: Health, Wealth & Life Insurance © 2024 |
This Website is developed by Margesh Patel. |